જામફળ આપણા દેશમાં એક પ્રમુખ ફળ છે. હળવા લીલા રંગનું જામફળ ખાવામાં મીઠું હોય છે તેમની અંદર ઘણી જ મોટી સંખ્યામાં નાના બીજ પણ હોય છે. જામફળ ઘણીજ સરળતાથી મળી જતું એક ફળ છે.
લોકો ઘરોમાં પણ તેમનું વૃક્ષ લગાવે છે. જામફળમાં રહેલ વિટામિન અને ખનીજ શરીર ને ઘણા પ્રકારની બીમારીઓ થી બચાવવામાં મદદગાર હોય છે સાથે જ તે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે.
જામફળ ખાવાની સલાહ આપે છે અને પોષક તત્વોનો ભંડાર છે જે અગણિત બીમારીઓ થી માનવ ના શરીર ની રક્ષા કરે છે. તો ચાલો આજે આપણે જાણીએ તેમના થોડાક સ્વાસ્થ્ય સંબંધી લાભ તેમને વાંચીને તમે પણ કહી ઉઠશો કે જામફળ ખાવું એક ચમત્કારિક ફળ થી ઓછું નથી.
વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જામફળમાં મળી રહેતા પોષક તત્વો મોતિયા બિંદુ બનવાની સંભાવનાને ઓછી કરે છે તેને ખાવાથી નસો કમજોર થતી અટકેછે અને આંખોની રોશની વધી શકે છે.
ફળની સાથે જ જામફળ ના પાંદડા નું સેવન મો મા પડેલા ચાંદા ને દૂર કરવામાં કારગર સાબિત થાય છે.
સ્કર્વી એક પ્રકારનો રોગ છે જે શરીરમાં વિટામિન સીની ઉણપના કારણે થાય છે અને શરીરમાં વિટામીન સી ની પૂર્તિ કરવું જ તેમનું એકમાત્ર ઇલાજ છે કેમકે વિટામિન સીની માત્રા માં સંતરા થી પણ વધુ ગુણકારી છે તે ફક્ત સ્કર્વી થવાથી રોકે છે. સાથેજ જલ્દી થી જલ્દી તેને દૂર કરવામાં પણ મદદ કરે છે.
જામફળમાં રહેલ લાઇકોપીન નામનું ફાયટો નુટ્રિશન શરીર માં કેન્સર ટ્યૂમર ના ખતરાથી બચાવવામાં સહાય થાય છે.
0 Comments